ધો.૧૧-૧૨ વિધાર્થીઓને શિષ્યવૃત્તિ
ધો-૧૧ અને ૧૨ સાયન્સના વિધાર્થીઓને ટ્યુશન ફી માટે શિષ્યવૃત્તિ
• સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિઓ પૈકી અતિ પછાત જાતિ, વધુ પછાત જાતિ તેમજ વિચરતી વિમુક્ત જાતિના ધોરણ-૧૧ અને ૧૨ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓ ધોરણ-૧૦ ની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને ૭૦ ટકા કે તેથી વધુ ગુણ સાથે પાસ કરી ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવતા વિધાર્થીઓને ધોરણ ૧૧ માં પ્રથમ વર્ષે રૂ. ૧૫,૦૦૦/- તથા ધોરણ ૧૨ માં બીજા વર્ષે રૂ.૧૫,૦૦૦/- મળી કુલ રૂ.૩૦,૦૦૦/ ની ખાનગી ટ્યુશન સહાય તેઓના પિતા/વાલીની વાર્ષિક આવક રૂ. ૪.૫૦ લાખ ધ્યાને લઇ વર્ષ ૨૦૧૪-૧૫ થી યોજના અમલમાં મુકેલ છે.
જરૂરી પુરાવા
(૧) જાતિનું પ્રમાણપત્ર
(૨) વિધાર્થીના બેંક પાસબુકની પ્રથમ પેજની ખરી નકલ અથવા કેન્સલ ચેક
(૩) વિધાર્થીના પિતા/વાલીના આવકનું પ્રમાણપત્ર (આવક મર્યાદા ૪,૫૦,૦૦૦ થી ઓછી)
(૪) ધોરણ-૧૦ ની માર્કશીટ રીઝર
(૫) અન્ય માર્કશીટ છેલ્લા વર્ષનું રીઝલ્ટ(જો ધો-૧૨ની શિષ્યવૃતિ માટે આવેદન કરવાનું હોઈ તો.)
(૬) કર્સ્ટ ટ્રાયલ સર્ટીફીકેટ (ssc રીઝલ્ટ સાથે મળેલ)
(૭) પ્રાઇવેટ ટ્યુશન સંસ્થા ધ્વારા મળેલ ફી ની ઓરીજીનલ
અન્ય જરૂરી યોજનાની માહિતી
RTE PORTAL-ગુજરાતમાં આરટીઈ યોજના હેઠળ શાળામાં પ્રવેશ માટેનો કાર્યકમ જાહેર
facebook page : gujgovtjobs
ધો.૧૧-૧૨ વિધાર્થીઓને શિષ્યવૃત્તિ કોમ કયાં મળશે અને અરજી કયાં કરવી ?
• આ સેવાનો લાભ હવે ઓનલાઈન DIGITALGUJARATની વેબસાઇટ પરથી મેળવી શકો છો.
• ઓનલાઇન ફોર્મ ભર્યાબાદ કોર્મ ની કોપી અને પુરાવાઓ વેરીફીકેશન માટે જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી કચેરી જઈ તપાસ કરવવાના રહેશે.